સફરેઈસ્લામ(safareislam)-03
image
માનદતંત્રીઃ ડૉ.હાજીભાઈ બાદી
સહાયકતંત્રીઃ હિદાયત પરમાર


સંપાદકમંડળ:
૧. મૌ.નઝમુદીન કડીવાર
૨. અબ્દુલકૈયુમ વહોરા
૩. મૌ.ગુલામયાસીન અશરફી
૪. રેશ્માબહેન જત


ટેક્નિકલ સહયોગ:
૧. શાહિદ પટેલ
ર. મકબૂલ માથકિયા
એહલે સુન્નત વ જમાઅતનું ઈ-મેગેઝીન

સફરેઈસ્લામ (માસિક)
(ઈસ્લામિક ગુજરાતી ડાયજેસ્ટ)

નવેમ્બર - 2025
માહે : જમાદી ઉલ અવ્વલ
હિજરીસન: ૧૪૪૭
વર્ષ: 01, અંક: 03, સળંગઅંક: 03
લવાજમ: ખિદમતેઈસ્લામ

સ્થાપક અને પ્રકાશક


સફરેઈસ્લામ ગૃપ

એડ્રેસઃ સફરેઈસ્લામ (માસિક)

મુ.પો.પંચાશિયા, તા.વાંકાનેર,

જિ.મોરબી. પીન: ૩૬૩૬૨૧.

web: www.safareislam.com

Email: info@safareislam.com

સફરે ઈસ્લામ કોના માટે છે?

  • ઉર્દૂ અને અરબી નહીં જાણનારા સામાન્ય ગુજરાતી વાચકો માટે.

  • ધંધા-રોજગાર, ઓફિસ-મુસાફરી વગેરેમાં આપના મોબાઇલમાં વાંચવા સાંભળવા માટે.

  • શાળાઓ અને મદ્રેસાઓમાં ભણતા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે.

હાર્દિક અપીલ

  • દીનેઈસ્લામ સંબંધિત કોઈપણ વ્યકિતને સેવા-સવાબના ભાવસાથે આ સામયિક સફરેઈસ્લામના ધારાધોરણ મુજબ શુદ્ધ ગુજરાતીભાષામાં લેખ લખી મોકલવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

  • આ સામયિકના તમામ લેખો શરઈ ચોકસાઈપૂર્વક પ્રગટ થાય છે, છતાં કોઇનાએ ધ્યાનમાં કોઈ ભૂલચૂક જણાયતો બિનચૂક અમારું ધ્યાન દોરશોજી.

  • સામયિક સંબંધી તમામ કામો માટેનું સંપર્ક સૂત્રઃ ૯૪૨૬૯૩૦૩૮૧.

ઈમાન પર ખાતિમા

સરકારે મદીનાએ સલ્લાલાહો અલયહે વસલ્લમે ઈરશાદ ફરમાવ્યો કે જે શખ્સ, બા-વુઝુ લાઈલાહા ઇલ્લલ્લાહો મોહમ્મદુરસુલુલ્લાહ ﷺ પઢશે, તો તે બંદાને અલ્લાહ તઆલા બાર કરામતો અતા ફરમાવશે.

(1) ઈસ્લામની હાલતમાં દુનિયાથી ઉઠાવવામાં આવશે. (અર્થાત ખાતિમા બિલ ખયર થશે)

(૨) રૂહ કબ્જે કરવાની સખતી તેની પર સરળ થરશે.

(૨) તેની કબ્ર રોશન (પ્રકાશિત) થશે.

(૪) મુન્કર અને નકીર તેની પાસે સારી શકલમાં પેશ થશે. (એ ફરિશ્તાઓ મૈયતને ત્રણ સવાલે પૂછવા આવે છે.)

(૫) કયામતના દિવસે, શોહદાની જમાઅત સાથે, તે બંદાને તેનું આમાલનામું આપવામાં આવશે.

(3) તેની નેકીઓનું ત્રાજવું 'મિઝાને અમલ' માં ભારે થશે.

(૭) ' પુલ સિરાત પર વીજળીની માફક તે બંદો પસાર થઈ જશે.

(૮) અલ્લાહ તઆલા તે બંદાના શરીરને દોઝખની આગથી હરામ કરી દેશે. (દોઝખમાં જશે નહિ.)

(૯) 'શરાબે તહુર' (જન્નતી શરાબ) થી તે બંદાની પ્યાસ (તરસ)ની તૃપ્તિ કરવામાં આવશે.

(૧૦) તે બંદાને જન્નતમાં સિત્તેર હુરો મળશે.

(૧૧) મદની તાજદાર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ની શફાઅત તેને
નસીબ થશે.

(૧૨) અલ્લાહ તઆલાનો દીદાર (દર્શન) તેને નસીબ થશે. (હવાલો; 'તઝકેરતુલ વાએઝીન')

અલ્લાહ તઆલા તો બંદાને માલામાલ કરવા તૈયાર છે, પરંતુ બંદો પોતેજ ગફલતની ઊંધમાં સુઈ રહયો છે. શુદ્ધ હૃદયથી કરેલો ઝિકરે ખુદાજ કામ આવશે. દુનિયામાં ભેગું કરેલું ધન અને બંગલા, વાહન અને વાડી,એ અહીં જ રહેવાનાં છે. આપણી જીભને, દિલને, દિમાગને ઝિકરૂલ્લાહમાં મશગુલ રાખીએ. એજ મુડી આખેરતમાં કામ આવશે. બારી આલા તૌફીક બક્ષે—આમીન.

તયબાહ.
૧-૧૨-૯૩
અનુક્રમણિકા પર પાછા જાઓ

હુઝૂરનું અપમાન કરનાર કાફિર છે

હઝરત અલ્લામા કાઝી અયાઝ (રહમતુલ્લાહ અલયહ) ફરમાવ્યું છે કે, આ વાત પર ઉમ્મતના બધા જ આલિમોની સર્વસંમતિ છે કે,

"હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસસલ્લમ)ને ગાળ આપનાર અથવા એમની જાત, એમના કુટુંબ, એમના દીન, એમની કોઈ ટેવમાં ખામી કાઢનાર અથવા એ તરફ ઈશારો-સંકેત કરનાર અથવા હુઝૂરને બદગોઈના માર્ગે કોઈ વસ્તુ સાથે સરખાવનાર અથવા આપ પર એબ લગાવનાર અથવા એમની મહાનતાને જૂઠાડનાર અથવા આપનો તિરસ્કાર કરનારને ઈસ્લામના બાદશાહના હુકમથી કતલ કરી નાખવામાં આવશે. એ જ રીતે હુઝૂર (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) પર લાનત કરનાર અથવા આપના માટે બદદુઆ કરનાર અથવા આપની તરફ કોઈ એવી વાત જોડનાર જે આપના ગૌરવને લાયક ન હોય અથવા આપના માટે કોઈ નુકસાનની ખેવના કરનાર અથવા આપની મુબારક હસ્તી તરફ એવી વાતી ઉચ્ચારનાર ,આપની શાનને લાંછન લગાડનાર અથવા કોઈ અજમાયશ કે કસોટીની વાતોથી આપને લજ્જિત કરનારને પણ ઈસ્લામના સુલતાનના હુકમથી કતલ કરી દેવામાં આવશે અને એ વિધર્મી ઠરાવાશે અને તેની તૌબા કબૂલ કરવામાં નહીં આવે અને આ પ્રશ્ને આલિમો વચ્ચે કોઈ
મતભેદ નથી કે એવો શખ્સ કાફિર ઠરાવીને કત્લ કરી દેવામાં આવશે. મુહમ્મદ બિન સુહનૂન (અલયહિર્રહમા)એ ફરમાવ્યું કે, નબી (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની શાનમાં બદગોઈ કરનાર અને આપની નિંદા કરનાર કાફિર છે અને જે કુફ અને પ્રકોપમાં શંકા કરે તે પણ કાફિર છે અને રિસાલતનું અપમાન કરનારની
દુનિયામાં આ સજા છે કે, તે ને કતલ કરી દેવાશે." (શિફા શરીફ, ભાગ-૨, પૃષ્ઠ-૧૮૯, ૧૯૦) એ જ રીતે હઝરત અલ્લામા કાઝી અયાઝ (રહમતુલ્લાહ અલયહ) હુઝૂર (અલયહિસ્સલાતુ વસ્સલામ)ના સંબંધિતો અર્થાત આપના સહાબીઓ, આપના એહલે બૈત, આપની પુનિત પત્નીઓ વગેરેને ગાળો આપનાર બાબતે ફરમાવ્યું કે,
*હુઝૂર (અલયહિસ્સલાતુ વસ્સલામ)ના એહલે બૈત (ઘરવાળા) અને આપની પુનિત પત્નીઓ અને આપના સહાબીઓને ગાળો આપવી અથવા એમની નિંદા કરવી હરામ છે. એવું કૃત્ય આચરનાર લાનતપાત્ર મલઊન છે.” (શિફા શરીફ, ભાગ-૨, પૃષ્ઠ-૨૫૫).

તયબાહ માર્ચ ૨૦૦૯.
અનુક્રમણિકા પર પાછા જાઓ

તૌબા એટલે શું?

તૌબાનો અર્થ છે ગુનાહોની દુનિયામાંથી નીકળીને અલ્લાહ તરફ વળવું. હઝરત ખ્વાજા હસન બસરી رحمۃ اللّٰہ علیہ, ફરમાવે છે કે, અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ કરવો, લજ્જિત થવું, જીભ વડે ઈસ્તિગફાર કરવું, શરીરના તમામ અવયવો વડે કોઇ બુરું કૃત્ય ન કરવું અને થઇ ગયેલા ગુનાહ ફરી વખત ન કરવાનો મક્કમ ઇરાદો કરી લેવો એ તૌબા નસૂહ છે. જે શખ્સ એવી તૌબા કરી લે, એના વિશે હુઝૂર પુરનૂર صلی االلہ علیہ وسلم નો ઇરશાદ છે કે, તે એ પ્રકારે પાક-સાફ થઈ જશે, જેમ કે એણે કોઇ ગુનો કર્યો જ નહોતો. એક બીજી હદીસ શરીફમાં એમ ફરમાવવામાં આવ્યું છે કે, ગુનેહગાર બંદો જ્યારે એમ કહે છે કે, હે રબ ! મારા પાછલા ગુનાહો માફ કરી દે, તો અલ્લાહ તઆલા જવાબમાં ફરિશ્તાઓને સંબોધીને ફરમાવે છે : હે મારા ફરિશ્તાઓ! તમે સાક્ષી રહેજો, મેં મારા આ બંદાને બક્ષી દીધો.
આજકાલ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધા જાણે છે. આપણાં આ કુકૃત્યોના કારણે જ જતે દહાડે આપણા ઉપર અલ્લાહ તઆલાનો કેવો અઝાબ ઉતરે છે, એનાથી પણ આપણે અજાણ નથી. આ આપણા આમાલનું જ
પરિણામ છે.
જે તમારા અને તમને જે મુસીબત પહોંચી તે એ સબબે છે જે તમારા હાથોએ કમાવ્યું.(પારહ-૨૫, રૂકૂઅ-૫) ,
આવો, આપણે સૌ અલ્લાહ તઆલાની બારગાહમાં ઝૂકી પડીએ અને સાચા દિલથી તૌબા કરીએ અને તૌબા કરીને અલ્લાહપાકના અઝાબમાંથી પોતાની જાતને બચાવી લઇએ.

અલ મુઇન:માર્ચ 2009.
અનુક્રમણિકા પર પાછા જાઓ

બિન મુસ્લિમો અને ઈસ્લામ

ઈસ્લામના પવિત્ર અને મહાન નબી પયગમ્બર) હઝરત મુહમ્મદ ﷺ
નો મહાન લકબ રહમતલ લીલ આલમીન ” પણ છે. તેનો મતલબ છે . " તમામ વિશ્વો માટે કૃપા રાખનાર. અલ્લાહ તઆલાએ પોતે કુરઆનમાં " સુરા અંબિયા ” પ્રકરણમાં આ લકબ આપ્યો છે.
ઈસ્લામ ધર્મનો જેમને અભ્યાસ નથી, તેવા બિન મુસ્લિમો અને કેટલાક અજ્ઞાન મુસ્લિમો પણ એવું સમજે છે કે, ઈસ્લામ ધર્મ બિન મુસ્લિમો સાથે અસહિષ્ણુતા શીખવે છે, પરંતુ તેવું નથી. ઇસ્લામ તમામ માનવો સાથે સદાચાર, મીઠી મધુરી વાતચીત અને દયાભાવ શીખવે છે. આપ સરકારની પવિત્ર હસ્તી માનવ માત્ર અને પ્રાણી માત્ર, ઉપરાંત તમામ સૃષ્ટિઓ માટે રહમત (કૃપા) છે. કુરઆનમાં સુરા મુમતહીન ? ની આયત ૮ માં કહ્યું છે કે, “આલ્લાહ તઆલા તમને, તે લોક સાથે અહેસાન અને ન્યાય પુર્ણ વર્તાવ કરવાથી મના કરતો નથી, કે જે લડે તમારી સાથે ધર્મ' બાબતમાં લડયા નથી અને તમને તમારા રહેઠાણો (ઘર) માંથી બહાર કાઢી મુક્યા નથી, બેશક, ન્યાય કરનારાને આલ્લાહ પ્રિય રાખે છે.
ઉપરની આયાત શરીફમાં અમુક શરતે
કાફિરો સાથે સદવર્તન કરવાનો હુકમ છે. ઝકાત સિવાયની બાકીની ઈમદાદ અને સદકા-ખૈરાત બિન મુસ્લિમોને આપી શકાય છે તેવું ઇસ્લામ કહે છે. હુઝુર નબીએ કરીમﷺ પોતે જ બિન મુસ્લિમોના તોહફા સ્વીકારતા હતા. સહાબાઓ એ પણ આકાના નકશે કદમ પર ચાલીને તેવી મિસાલ કાયમ કરી છે. 23 વર્ષની અસહ્ય યાતનાઓ વેઠયા પછી જ્યારે મકા શરીફ જીતાયું ત્યારે આપ સરકારે મોટા મોટા અને ઝાલિમ દુશ્મનોએ હુઝુર પર અને તેમના સાથીઓ પર અત્યાચાર તેમજ ક્રૂરતા કરવામાં કશી કસર બાકી રાખી ન હતી, તેમને પણ આકા મારફતે માફી આપવામાં આવી હતી. આપ સરકાર બિન મુસ્લિમોની બીમારી વખતે તેમની ખબર કાઢવા તશરીફ લઈ જતા હતા, તેમની દાવત પણ કબૂલ કરતા હતા.એક વખત એક યહૂદી સ્ત્રીની દાવતમાં આપના ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું તેની અસર ઘણા વરસ રહી હતી.બિનમુસ્લિમોના પ્રતિનિધિ મંડળો આપને મળવા આવતા તો મસ્જિદે નબ્વીમાં તેમને ઉતારા આપવામાં આવતા હતા.તેઓને વિદાય કરતી વેળાએ આપ તોહફા પણ આપતા હતા. આપ સરકારે જે આખરી વસિયત ફરમાવી છે તેમાં આ શબ્દો પણ છે કે
બહારથી આવનારા પ્રતિનિ મંડળોને કોઈ તોહફા-બક્ષિસ અથવા ઇનામ જેવું કાંઈ પણ આપ્યા કરજો, જેવી રીતે હું આપતો હતો. હઝરત ઉમર ફારુક رضى الله عنهمપોતાના શાસનકાળમાં નાદાર-ગરીબ, વૃદ્ધ બિન મુસ્લિમો પાસેથી જજીયાવેરો લેવાની બાબતમાં નરમાશ અને જરૂર પડ્યે પણ માફી આપી હતી. ઉમ્મતની માતા હઝરત સફિયા رضى الله عنها એ પોતાના બે યહૂદી સગાંઓને 30,000 નો સદકો પણ આપ્યો હતો. કેદીઓને ભોજન જમાડવાનું કાર્ય સવાબનું કાર્ય ગણાતું હતું, તેથી સ્પષ્ટ થાય છે કે સહાબાના કબજામાં જે કેદી આવતા હતા તે બિનમુસ્લિમો હતા. હઝરત અબુ મૈસરહ, હઝરત અમ્ર બિન મૈમુન, હઝરત અમ્ર બિન શરજીલ رضى الله عنهم ઈસાઈ સન્યાસીઓની મદદ સદકાએ ફિત્ર આપીને કરતા હતા. (હવાલો: કિતાબુલ અમવાલુલ અબી ઉબૈદા:પેજ 613-614).
હઝરત ઉમર ફારુક સાહેબે પોતે પોતાના એક મુશરીક ભાઇને એકવાર એક કીમતી રેશમી પહેરણ હદયા તરીકે મકા શરીફમાં મોકલ્યું હતું. (હવાલો:બુખારી શરીફ)હદીસ શરીફમાં છે કે "તમારામાંથી કોઈપણ શખ્સ ત્યાં સુધી સંપૂર્ણ ઈમાન વાળો નહીં થાય
જ્યાં સુધી તે શખ્સ પોતાના માટે જે વસ્તુ પસંદ કરે તે જ વસ્તુ બીજાઓ માટે પણ પસંદ ના કરે.(હવાલો: મસનદ અહમદ જી-3 પેજ 272.)

(તયબાહ: ઓગસ્ટ-સપ્ટેમ્બર 1991)
અનુક્રમણિકા પર પાછા જાઓ

લોકોએ જે કરવું હતું એ જ કર્યું!

મુસ્લિમો પાછળ જરૂર છે,પરંતુ પછાત બિલકુલ નથી. શબ્દે શબ્દે એની સાદેહી પ્રસ્તુત લેખ આપે છે.
34 વર્ષનો એક નવજુવાન ગાંધીના સિદ્ધાંત મુજબ રાજકારણમાં પણ સત્યને (હકક પરસ્તી) કેવી અદભુત રીતે વળગી રહીને જગતજમાદાર ટ્રમ્પને વૈચારિક પછાડીને પણ પોતાની આગવી સૂઝ,સમજણ અને ઈમાનદારી સાથે વિજેતા બને છે!

એક આફ્રિકન બોધકથા છે. એમાં એક કાગડો રાજાનો ભાઈબંધ છે. એક દિવસ એ કાગડો રાજાને કહે છે: બધા લોકો કોયલનાં વખાણ કરે છે પણ મારાં વખાણ તો કરતા જ નથી. તમે એવું કંઈક કરો જેથી લોકો મારાં વખાણ કરે. બીજા જ દિવસે રાજાએ એક વટહુકમ બહાર પાડ્યો: હવે પછી આપણે બધાંએ કાગડાને 'કોયલ' કહેવો અને કોયલને 'કાગડો'.

લોકો એ વટહુકમનો આદર કરવા લાગ્યા બધા કાગડાને કોયલ કહેવા લાગ્યા. પણ જ્યારે સ્વરનાં વખાણ કરવાનાં આવે ત્યારે બધા 'ભૂતપૂર્વ કોયલ' એટલે કે 'સમકાલીન કાગડા'નાં જ વખાણ કરે.

પાછો કાગડો રાજા પાસે ગયો. કહે: મહારાજ, એક વટહુકમ બહાર પાડીને મારો કંઠ બદલી નાખો. તો મહારાજ કહે: મિત્ર, રાજા
તરીકે મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે. હું નામ બદલી શકું; કંઠ નહીં.

આ બોધકથા મેં અનેક મિત્રોને, વિદ્યાર્થીઓને, (જાહેરમાં) અનેક શ્રોતાઓને પણ કહી છે. અને બધાંને પૂછ્યું છે કે આ બોધકથામાંથી તમે શો બોધ તારવશો? લગભગ બધાંએ એમ કહ્યું કે રાજા પ્રકૃતિને ન બદલી શકે. અર્થાત્ સત્તા પ્રકૃતિ ન બદલી શકે. જો કે, નરેન્દ્રભાઈ તો અદાણી અંબાણી માટે પ્રકૃતિ પણ બદલી નાખે. કંઈ કહેવાય નહીં.

દરેક બોધકથામાં હોય છે એમ આ બોધકથામાં પણ એક trap છે. એથી હું બોધકથા વિશે જરા જુદી રીતે વિચારું છું. મને લાગે છે કે આ બોધકથામાં પ્રજા રાજા કહે એમ કરે છે પણ એમ કરીને એ મૂળ સત્ય બદલતી નથી. એ કાગડાને 'કોયલ' કહે છે. જેવો મહારાજાનો હુકમ. પણ જ્યારે કંઠનાં વખાણ કરવાનાં આવે ત્યારે કોયલના કંઠનાં જ વખાણ કરે. એ કોયલના સત્યનો આદર કરે છે.

ઝોહરાન મમદાનીએ (મૂળ ગુજરાતી, ઉંમર 34) રોટી, કપડાં અને મકાનની વાત કરી વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતી છે. ભારત કા મીડિયા ‘રોટી, કપડા, મકાન અને
રોજગારની વાત કરનારને દેશદ્રોહી ઘોષિત કરે છે !ટ્રમ્પે ધમકી આપેલી કે જો મમદાનીને ચૂંટશો તો ન્યૂયોર્ક શહેરને ફંડ આપતાં પહેલાં મારે વિચાર કરવો પડશે. ન્યૂયોર્કની કેટલીક કંપનીઓના CEOએ કહ્યું કે જો મામદાનીને ચૂંટશો તો અમે ન્યૂયોર્ક છૌડીને બીજે ક્યાંક જતા રહીશું. ટેક્સાસના ગર્વનરે કહ્યું કે જો ન્યૂયોર્કની કંપનીઓ મારા ત્યાં આવશે તો હું એમના પર 100% tariff નાખીશ. સાલું આ tariff પણ ખરું શસ્ત્ર છે. ગ્લોબલાઈઝેશને આપેલું.

તો કેટલાક Republican નેતાઓએ ટ્રમ્પને વિનંતી કરી કે આ માણસ યહૂદીઓનો વિરોધી છે, એને કારણે આપણી વિદેશનીતિ પર અવળી અસર પડશે. એનું નાગરિકત્વ છીનવી લો. કેટલાય લોકોએ એને 'સામ્યવાદી' અને 'સમાજવાદી'ની ગાળો દીધી.

ટૂંકમાં, અનેક રાજાઓએ મામદાનીની સામે અનેક વટહુકમો બહાર પાડ્યા અને લોકોએ એ વટહુકમોનો વિરોધ ન કર્યો પણ જ્યારે મત આપવાનો આવ્યો ત્યારે કોયલને અન્યાય ન કર્યો. એ લોકોએ જે કરવું હતું એ જ કર્યું.
મામદાનીનું એક જ જમા પાસું છે: પોતે જે રાજકીય
વિચારધારામાં માને છે એને એમણે જરા પણ છુપાવી નથી. એમણે પોતાને સમાજવાદી-ડેમોક્રેટ તરીકે ઓળખાવ્યા છે. ઘણા ડેમોક્રેટોને એ વાત ગમી નથી. કયો રાજકારણી આજના જમાનામાં પોતાને સમાજવાદી કહેવા તૈયાર થશે?

પણ, ઝિઝેક, બાદિયુ જેવા અનેક ફિલસૂફો કહે છે કે હવે પછી જે રાજકીય પક્ષો સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને ઓળખી શકશે એ જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકશે. કેમ કે દિનપ્રતિદિન એ વર્ગ સતત વિસ્તરતો જાય છે.

જો કે, મારું માનવું છે કે ભારતમાં એવું નહીં થાય. ભારતમાં ગરીબ માણસ પાસે કર્મનો સિદ્ધાન્ત છે અને એને તાવ આવે છે ત્યારે એ બે કામ કરતો હોય છે. સૌ પહેલાં તો એ તાવની દવા લેતો હોય છે અને પછી કોઈક માતાની કે બાપાની કે પીરની બાધા રાખતો હોય છે. પછી એ સાજો થઈ જાય ત્યારે માતાની કે બાપાની કે પીરની બાધા કરતો હોય છે અને એમ માનતો હોય છે કે એમની કૃપાથી જ એનો તાવ ગયો. નહીં તો એ ઉપર પહોંચી ગયો હોત. એ પેલી દવાને ભૂલી જતો હોય છે.
લેખક:રમેશ સવાણી

[સૌજન્ય : બાબુ સુથાર
ભાષાવિજ્ઞાની,
સર્જક, Philadelphia, USA, 5 નવેમ્બર 2025]
અનુક્રમણિકા પર પાછા જાઓ

ઈસ્લામમાં ચારિત્ર્ય અને સદાચા૨

સંપાદક : હાજી ઉસ્માનભાઈ ખત્રી, ચિશ્તી, (તંત્રી, 'તયબાહવ')

ઈસ્લામ ધર્મમાં નખશિખ ચારિત્ર્ય અને શિષ્ટાચાર, સદવર્તન, નમ્રતા, શુદ્ધ વહેવાર વિ. ઉત્તમ ગુણો પર ઘણો ભાર મુકાયો છે. મલાજો, મર્યાદા શું છે, તેનું પાલન કેટલી હદે કરવું જોઈએ, તે પણ બતાવી દેવામાં આવ્યું છે.

'સુરા નૂર' ના રૂકૂઅ ૮, આયત ૫૯ માં અલ્લાહ તઆલા ફરમાવે છે કે, “મુસલમાનો ! જ્યારે તમારાં સંતાન પુખ્તવયનાં થઈ જાય, તો તેમણે (રૂમ માં) પ્રવેશવા માટે રજા માગવી જોઈએ, જેમ તેમની પૂર્વેના લોકો ઈજાઝત લેતા રહ્યા છે.” (સુરા નૂર : આયત ૫૯)
કોઈ પણ માણસની પ્રાઈવસી (એકાંત) જળવાવી જોઈએ. તેને પૂછ્યા વિના તેના રૂમમાં કસમયે પણ ઘુસી જવું, નરી બદઅખલાકી છે, જેહાલત, મૂર્ખતા છે.
'સુરા નિસા' ના રૂકૂઅ 5ની આયત-૩૬ માં ઈર્શાદે રબ્બાની છે કે, “અલ્લાહની ઈબાદત કરો, કોઈને તેનો શરીક ઠેરવો નહિ, મા-બાપ, સગાંવહાલાં, અનાથ, મેહતાજ, નજીક રહેતા પાડોશીઓ, અજાણ્યા પાડોશીઓ, (તમારી) પાસે બેસનારાઓ, મુસાફરે અને
દાસી-ચાકરોથી સદવર્તાવ કરેો. યાદ રાખો, ખુદા તઆલા કોઈ ઘમંડી અને શેખીખોરને પસંદ કરતો નથી.” (સુરા નિસા : આયત ૩૬)
ઉપરની આયતમાં કેટલી બધી સ્પષ્ટતાથી, મા-બાપ, સગાંઓ, અનાથો, મોહતાજો, પાડોશીઓ, મિત્રો, મુસાફરો અને આપણી દાસીઓ (ખરીદીને લાવ્યા હોય તે દાસી) અને ચાકરો (ગુલામો), એ તમામની સાથે શિષ્ટ આચાર કરવાનો ઈલાહી હુકમ થયો છે. આજે તો દાસીની તો વાતજ ક્યાં કરીએ ? આપણા સગા ભાઈઓ, આપણા મા બાપ, આપણા પાડોશીઓ, કાકા-મામાના અનાથ સંતાનો, મિત્રો વિ. સાથે આપણે કેવો વર્તાવ-અશેભનીય વર્તાવ-કરીએ છીએ ! હજાર વર્ષ પહેલાં ઘરનું-ખેતરનું-કામકાજ કરવા માનવોના બજારમાંથી દાસીઓ અર્થાત લોંડીઓ અને ગુલામો (ખરીદેલા ચાકરો) ને ખરીદીને લાવતા હતા. આવા દલિત સ્થિતિમાંથી આવતા દાસ-દાસીઓ જેમને કોઈ વ્યક્તિ ખરીદીને માત્ર કામ કરાવવાજ ભલે લાવ્યા હોય, તો તેની સાથે પણ શિષ્ટ વર્તન, માયા ભરેલું વર્તન, પ્રેમભર્યું વર્તન કરવાનું છે. તેમને ઠોકરો મારવાની નથી. તેમને હડધૂત કરવાના નથી. તેમનો તિરસ્કાર કરવાને નથી. તે પણ
માનવી છે અને સન્માન ને પાત્ર છે. તેને પણ લાગણીઓ છે. અસહય દયાજનક પરિસ્થિતિ ઉભી થઈ હોવાથી તેમને બજારમાં પોતાની જાતને વેચવા માટે ઉભી કરી દીધી અને વેચાઈ ગયા.તેથી તો તે સહાનુભૂતિને પાત્ર બને છે, મદદ કરવાને પાત્ર બને છે. રૂપિયા આપીને આપણે ખરીદી લાવ્યા, તેથી તે સ્ત્રી કે પુરુષના આપણે કાનૂની માલિક ભલે હોઈએ, પરંતુ તેના દિલો-દિમાગ, તેની ભાવનાઓ, તેની લાગણીઓ, તેનાં સ્વપ્ન, તેનાં સુખ- દુખ, તેની પસંદ-નાપસંદ, તે દરેકના આપણે માલિક બની જતા નથી. એવી તમામ લાગણીઓમાં આપણે તેની સાથે રહીને, તેની ખુશી, તેનાં દુઃખ, તેની ભાવનાઓ, તેની પસંદ-ના પસંદને સમજી લઈ, તેની સાથે જોડાવાનું છે. તેમાં ભાગીદાર બનવાનું છે. ઈસ્લામના ધનપતિઓએ ખરીદેલા ગુલામોને પોતાની દીકરીઓ આપી છે, ઈસ્લામ ધન, માલ, સંપત્તિને જ પ્રાથમિક્તા આપતો નથી. ઈસ્લામ તકવા, પરહેઝગારીને ઉત્તમ ગણે છે. ઈસ્લામ કહે છે કે સર્વ લોકોમાં અફઝલ માણસ તે છે જે તકવા અને પરહેઝગારીમાં ઉત્તમ છે.
વ્યભિચાર સમાજની બેહદ બુરી બીમારી છે. જે
સમાજમાં વ્યભિચાર વ્યાપે છે. તે સમાજને તે હાડ-પિંજર જેવું ખોખું બનાવી દે છે. ઈસ્લામ સ્ત્રી અને પુરુષ બંન્નેને પવિત્રતાથી રહેવા જણાવે છે. બૂરી નજરથી બચવા જણાવે છે. જો કોઈ વ્યભિચાર કરે તો તેને માટે સખ્ત સજાની જોગવાઈ ઈસ્લામે કરી છે.
'સુરા નૂર'રૂકુ ૧ ની આયત ૨ માં અલ્લાહ ફરમાવે છે કે વ્યભિચારી સ્ત્રી અને વ્યભિચારી પુરષમાંથી દરેકને ૧૦૦ (સો) કોરડા મારે. જો તમે અલ્લાહ (પર) અને આખેરતના દિવસ પર ઈમાન ધરાવો છો. તો અલ્લાહના હુકમના પાલનમાં તમને તેમની પર દયા આવવી જોઈએ નહિ. તેમની સજાના સમયે મસલમાનોને એક જનસમૂહ પણ હાજર હોવો જોઈએ." (સરા નૂર : આયત ૨ )
ઉપરોક્ત હુકમમાં કુંવારા સ્ત્રી-પુરુષની વાત છે. જો પરણેલા સ્ત્રી-પુરષ વ્યભિચારનો ગુનો કરે તો તેમને સંગ સાર (પત્થરો મારીને) કરીને મૃત્યુ દંડ આપવાનો છે. તેમને માટે એ પ્રકારનું મૃત્યુ નક્કી જ છે, પરંત કુંવારા સ્ત્રી-પુરુષ વ્યભિચારનો ગુનો કરી બેસે તો તેમને દરેકને સો સો કોરડા (હંટર) મારવાના છે. તેમાં જરાય દયા દાખવવાની નથી.
આપણી આજની કોર્ટોમાં હજારો બળાત્કારીઓ નિર્દોષ છૂટી જાય છે અને નિસહાય, નિરાધાર અબળાને જિંદગીભર આંસુ વહાવવાનાં હોય છે.કાયદામાં છટકબારીઓ છે. સાક્ષીઓને ફોડી નાખવામાં આવે છે અને પોલીસ તપાસ પણ શંકાસ્પદ બની જાય છે પરિણામે આવા નરાધમો રોકટોક વિના અને બેશરમ બનીને સમાજમાં ઉચ્ચ સ્થાન શોભાવતા રહે છે, પરંતુ ઈસ્લામમાં બધા નગરજનો સરખા છે. વ્યભિચાર અથવા ચોરી અથવા ખૂન અથવા જુદા આક્ષેપ કરનારા અથવા ઓછું તોલનાર, ખોટું માપિયું રાખનાર. દારૂ પીનાર, દારૂ રાખનાર, દારૂ વેચનાર, દારૂ ખરીદનાર ગમે તેવો મોટો માણસ હોય તો તેવી વ્યક્તિની મોટપને ઈસ્લામ જેતો નથી. ઈસ્લામ તો જુએ છે કે તેણે ગુને કર્યો છે કે નહિ ? જો ગુનો સાબિત થાય તો દરેકે સજા ભોગવવાની થાય છે. ઈસ્લામી સમાનતાનો જોટો જડવો મુશ્કેલ છે.
* બુખારી શરીફ"ની એક હદીસ શરીફમાં કહ્યું છે કે, "જે શખ્સ એવું ઈચ્છતો હોય કે ખુદા તેની રોજીમાં વધારો કરે અને તેનું આયુષ્ય લાંબુ કરે, તો તેવા માણસે તેના સગાંઓથી પ્રેમ રાખવો જોઈએ. (બુખારી)
સુજ્ઞ
વાચકો ! સગાંઓનું મહત્વ ઘણું છે. આજના જમાનામાં સગાંઓ પણ પૈસાથી જોખાય છે. મતલબ એ છે કે ગરીબ સગાં હોય તો તેના માલદાર સગા વ્હાલાં, તેને બોલાવતાં નથી. જો બોલાવે છે. તો તેની યોગ્ય કદર કરતા નથી. તેની જોડે મીઠાસથી બોલતા નથી, તેને ઉમળકા ભેર આવકાર આપતા નથી, તેના ખાવા પીવાનો યોગ્ય બંદોબસ્ત કરતા નથી. પરંતુ રસૂલે કરીમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ ) સ્પષ્ટતાથી ફરમાવી દીધું છે કે રોજીમાં વધારો અને લાંબુ આયુષ્ય ઈચ્છતા હોવ તો તમારાં સગાંઓને પ્રિય બનાવી લો.
'બુખારી' તથા 'મુસ્લિમ' તથા 'અબુ દાઉદ' માં લખેલી એક હદીસ જોઈએ. રસુલે કરીમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું છે કે, “જે શખ્સ અલ્લાહ પર અને આખેરતના દિવસ પર ઈમાન રાખે છે. તેણે પોતાના મહેમાનની ઈઝઝત કરવી જોઈએ. પોતાના પાડોશી સાથે સદવર્તન કરવું જોઈએ અને સારી વાત એટલે નેક વાત કહેવી જોઈએ : નહિ તો ચૂપ રહેવું જોઈએ.” (બુખારી : મુસ્લિમ : અબુ દાઉદ )

સુજ્ઞ વાચકો ! ઉપરોકત હદીસમાં ઘણી સુંદર વાત કહેવામાં આવી છે. દરેક મુસલમાન
અલ્લાહ પર અને આખેરતના દિવસ પર (એટલે ક્યામત પર) ઈમાન તો રાખેજ છે. તેમ છતાં બારણે આવેલા મહેમાનનું સન્માન જળવાય તેવી રીને વર્તન કરતો નથી, તે આજે જોઈ શકાય છે. આજે મોંધવારી ઘણી હોવાથી અને મશીન જેવું જીવન બની ગયું હોવાથી, મહેમાન આવે તે કદાચ બોજારૂપ લાગતા હશે, પરંતુ ઈસ્લામ ધર્મમાં 'મહેમાન' ની ખૂબ જ કદર કરવાનું અને તેનું માન સન્માન જાળવવાનું કહ્યું છે. પાડોશીઓ સાથે સદ વર્તન કરનાર જન્નતી છે તેવું પણ ઈસ્લામ કહે છે. જ્યારે બોલો ત્યારે નેકીની જ વાત બોલો, નહિ તો ખામોશ થઈ જાવ તેમાંજ બહેતરી છે.
ઈસ્લામમાં ભલાઈ તરફ લોકોને બોલાવવાનું અને બુરાઈઓથી લોકોને રોકવાના આદેશો આવ્યા છે., તેને "અમ્રો-નહિ " ના આદેશો કહે છે. "અમર બિલ મઅરુફ, નહિ અનિલ મુન્કર " એ મુજબ કુર્આન શરીફની આયત છે. તેનો અર્થ એવો છે કે નેકીની તરફ લોકોને બોલાવો અને ‘મુન્કર' એટલે બુરાઈઓથી લોકોને રોકી દો, રૂકજાવનો હુકમ સંભળાવો. જે આવી ફરજ નહિ બજાવે તે ગુનેહગાર છે. ખાસ કરીને દીનના જાણકાર લોકોએ ખામોશી ધારણ કરવાની
નથી. તેઓએ પોતાનું મૌન તોડીને નેકી અને બદીની વાતો લોકોને જણાવી દેવાની છે.
'અબુ દાઉદ' ની એક હદીસ શરીફ ખાસ સમજવા જેવા છે. રસુલે કરીમે (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) ફરમાવ્યું છે કે, “જે શખ્સ, પરવાનગી વિના, પોતાના ભાઈનો પત્ર જોશે (વાંચશે), તે અગ્નિને જોશે.” (અબુ દાઉદ)
એક હદીસ શરીફમાં છે કે, “ જેણે પોતાના (મુસલમાન ) ભાઈથી એક વર્ષ સુધી હળવા-મળવાનુ’ છોડી દીધું, તો જાણે તેણે તેનું ખૂન (હત્યા) કરી નાખ્યું. ” (અબુ દાવુદ )
ઉપરોક્ત હદીસો અને કુર્આનમજીદની આયતો જોઈ ગયા. તેમાંથી એવું જાણવાનું મળ્યું કે ઈસ્લામમાં શુધ્ધ-અણિશુદ્ધ ચારિત્ર્ય અને શિષ્ટ આચાર વિચાર માટે હુકમો આપવામાં આવ્યા છે અને તેને માટે આખેરતના જીવનમાં ઉત્તમ બદલો આપવાના વાયદા (વચન) અલ્લાહે જ કર્યા છે. પ્રત્યેક મુસલમાનનું ઈમાન છે કે અલ્લાહના અને રસુલે ખુદા (સલ્લલ્લાહો અલયહે વ સલ્લમ)ના વચનો સત્ય-સત્ય-સત્ય જ છે. દરેક મુસલમાનને નેક જીવન જીવવાની અલ્લાહ તૌફિક આપે આમીન.

તયબાહ:૦૧-૧૨-૯૬
અનુક્રમણિકા પર પાછા જાઓ

મુસ્લિમોની સાચી જિહાદ : શિક્ષણ

સહયોગ વિદ્યાલય
ડૉ. હાજીભાઈ બાદી.
મુસ્લિમોની સાચી જિહાદ : શિક્ષણ

(રિસાલતકાળનું શિક્ષણ)

હઝરત ઝૈદ બિન સાબિત رضي الله عنه કાતિબેવહી અને પત્રલેખક હતા. હિબ્રુ અને સૂર્યાની ભાષાઓ ઉપરાંત ફારસી, રોમન, ઈજિપ્શીયન અને આફ્રિકન ભાષાઓ પણ જાણતા હતા. તેઓ રસૂલે અકરમ ﷺની સેવામાં આ ભાષાઓના અનુવાદક-દુભાષિયા તરીકે સેવાઓ આપતા હતા.એમણે આ વિવિધ ભાષાઓ યુદ્ધોમાં જીતીને સ્વતંત્ર કરવામાં આવેલા કેદીઓ-ગુલામો પાસેથી શીખી હતી. આવો ભાષાશોખ આપણને જાગે છે ખરો?
આ ઉપરાંત મદીના મુનવ્વરામાં સ્વરક્ષણ માટે મુસલમાનોને યુદ્ધોમાં ફરજિયાતપણે શામેલ થવું પડતું હતું, તેથી આપﷺ એ શિક્ષણવ્યવસ્થામાં જ યુદ્ધકળા શીખવવાના ભાગરૂપે ઘોડેસવારી, તીરંદાજી, નિશાનબાજી, તરણકળા અને આરોગ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયો ફરજિયાત રીતે શામેલ કર્યાં હતાં.પુરુષો જેટલો જ સ્ત્રીઓ અને દાસીઓનાં શિક્ષણ માટેનો આગ્રહ પણ રહેતો.આપ ﷺનું ફરમાન છે કે “જે કોઈ પોતાની દાસીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપશે અને એમની સાથે નિકાહ કરશે એને બમણો
સવાબ મળશે." આ ઉપરાંત આપ ﷺ સપ્તાહમાં એક દિવસ માત્ર સ્ત્રીઓ માટે પણ સમય ફાળવતા અને સ્ત્રીઓની વ્યાપક કેળવણી માટે બાળઉછેર અને રાષ્ટ્રની પરિસ્થિતિની ચર્ચાઓ કરતા અને તેમને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ આપતા હતા. પરિણામ સ્વરૂપે પ્રભાવિત થયેલી સ્ત્રીઓ યુદ્ધોમાં દિલખોલીને મદદ પણ કરતી હતી.
પયગંબર સાહેબﷺની શિક્ષણ પદ્ધતિ ખૂબ જ સરળ, હૃદયસ્પર્શી, ટૂંકા વાર્તાલાપોવાળી અને મનોવૈજ્ઞાનિક રહેતી.શિક્ષણની સમગ્ર ચર્ચાઓમાં જે વાતો મહત્વની હોય તેને આપ ત્રણ-ત્રણવાર દોહરાવતા હતા જેથી સામાન્ય કે મંદબુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓ પણ બરાબર સમજી શક્તી,એટલું જ નહીં એક રિવાયત પ્રમાણે તો ત્યાં સુધી કહેવાયું છે કે આપ ﷺ જે શબ્દો બોલતા તે ગણી શકાય એટલી ધીમી રીતે બોલતા હતા. આ બધી બાબતોના પરિણામે મુસ્લિમોનું શૈક્ષણિક સ્તર ખૂબ જ ઊંચું આવ્યું.
ઉમ્મુલ મોમીનીન હઝરત આઈશા સિદ્દીકા رضي الله عنه ની
ઈલ્મ તથા ફઝલની એવી સ્થિતિ હતી કે તેમની ગણના મુજતહિદીન સહાબા-સહાબિયાઓમાં થાય છે. હજરત
ઉસ્માન ગની رضي الله عنه
ના જમાનામાં તેઓ ફતવા આપતા હતા.સહાબાએ કિરામની સમક્ષ જો કોઈ મુશ્કેલ સવાલ આવતા તો તેને મા હઝરત આઈશા رضي الله عنه
જ હલ કરતા હતા.
હઝરત ઈમામ અબુ દાઉદ رضي الله عنه હદીસ શરીફની બાબતમાં એક સ્ત્રીના પણ શાગિર્દ હતા.એવી જ રીતે ઈમામ સિયૂતી رضي الله عنهનાઉસ્તાદોની યાદીમાં અનેક સ્ત્રીઓ હતી. હઝરત ઉમર ફારૂક رضي الله عنهજેવા જલીલુલકન્દ્ર સહાબી પણ હઝરત અબુબકર સિદ્દીક رضي الله عنه
ના મોટા દીકરી હઝરત અસ્મા رضي الله عنها થી પોતાના ખ્વાબોની તાબીર (સ્વપ્નફળ)પૂછતા હતા.ઈમામ ઈબ્ને અસાકિર رضي الله عنه દમિશ્કનાં એક મશહૂર ઈતિહાસકાર થઈ ગયા,તેમણે 1300 જેટલા મુહદ્દીસો પાસેથી હદીસો શીખી, જેમા 80થી વધારે સ્ત્રીઓ પણ હતી.
હકીમ ઈબ્ને ઝુબેર જે અશબીલીયહ (એક સ્થળ)ના મશહૂર તબીબ હતા.તેમની બહેન અને ભત્રીજી ડોકટરીવિદ્યામાં મશહૂર હતાં અને સ્ત્રીરોગોના ઈલાજમાં તો તેમની કાબેલિયત આસ્માને પહોંચી હતી.
હઝરત અસ્મા બિન્તે અબુબકર رضي الله
عنه પ્રવચનકળામાં એટલા માહિર હતા કે સામાન્ય રીતે લોકો તેમને “હતીબ એ અન્સાર "ના લકબથી યાદ કરતા હતા.
આ જાતની આયોજનબદ્ધ શિક્ષણવ્યવસ્થાને કારણે મુસ્લિમોમાં ઉચ્ચકક્ષાના નૈતિક તેમજ ધાર્મિક મૂલ્યો સાથે
ચોકકસ પ્રકારની સાહિત્યિક અને સાંસ્કારિક યોગ્યતાઓમાં પણ બેહદ વધારો થયો. અને ઈસ્લામી શિષ્ટાચાર, સભ્યતા અને સંસ્કૃતિનો ઝડપભેર વિશ્વમાં વિકાસ અને ફેલાવો થયો.
મસ્જિદે નબવી એ જમાનામાં નમાજ બાદ મુસ્લિમો માટે સૌથી મોટી પાઠશાળા હતી, જયાં સહાબીઓ દરેક સમયે તન, મન અને ધનથી આપ ﷺની સેવામાં ખડે પગે હાજર રહેતા.આ હતી રિસાલતકાળની શિક્ષણ વ્યવસ્થા.
આપણે જોયું કે ઈસ્લામી આલમમાં કયાંયે દીન ઉપરાંત દુનિયાવી ઈલ્મનો વિરોધ નથી જ નથી.જમાના પ્રમાણે આજે દીનની સાથે વધારેને વધારે દુન્યવી ઈલ્મની પણ જરૂરિયાત છે જ.અને એટલે જ આપણે આપણાં આકા વ મૌલા હઝરત મોહમ્મદ મુસ્તુફા ﷺ મે આપણને ખાસ તાકીદ થકી ફરમાવ્યું કે "ઈલ્મ શીખવું એ હરેક મુસ્લિમ મર્દ અને ઔરત માટે ફર્ઝેઐન છે."
એટલું જ નહીં ત્યાં સુધી ફરમાવ્યું કે "ઈલ્મ શીખવા માટે ચીન સુધી જવું પડે તો જાઓ,પણ ઈલ્મ શીખો."ક્યાં અરબસ્તાન અને કયાં ચીન! એક અંદાજ મુજબ રિયાધથી બેઝિંગ વચ્ચેનું હવાઈ અંતર આશરે 6200 kmથી 6,500km છે અથવા જિદ્દાહથી સાંઘાઈ સુધીનું હવાઈ અંતર અંદાજિત 7000 km છે અથવા મધ્ય એશિયાના દેશો વચ્ચેથી પસાર થઈને જમીન માર્ગે અરબસ્તાનથી ચીન જતા આ અંતર આશરે 8000 થી 9000 km થવા સંભવ છે.વિદ્યા પ્રાપ્તિ માટે ચીન જાઓ એટલે ચીનમાં જ જવાની જરૂર નથી, પણ જરૂર લાગે તો અરબસ્તાનથી ચીન જેટલાં દૂર-દરાજ,દુનિયાનાં કોઈ પણ દેશમાં જઈને જરૂરી વિદ્યા મેળવો અને તે માટે હરહાલમાં કાંઈપણ મથામણ કરવા તૈયાર રહો. આ વાત વિશિષ્ટ રીતે એક ઉદાહરણ દ્વારા પણ વધારે પુષ્ટ થાય છે. હિજરી સન 2(બે)માં 17 રમઝાનના રોજ જંગેબદર થયો. જેમાં 1000 કાફિરોની સામે માત્ર 313 અસહાબોનો જ્વલંત વિજય થયો. આ સમયે પકડાયેલા કેદીઓ પાસેથી જરૂરી ફિદિયો (એક પ્રકારનો દંડ)લઈને તેમને છોડી દેવામાં આવતા,પણ જેમની પાસે આવા દંડની રકમ ન હોય તેવા લોકો
શું કરે? આ પ્રશ્ન જ્યારે પયગંબર સાહેબ ﷺની પાસે આવ્યો ત્યારે આપે ફરમાવ્યું કે " તેઓમાંથી જેઓ સાક્ષર છે તે મદીનાશરીફના નિરક્ષરો પૈકી દસ-દસ વ્યક્તિઓને લખતાં-વાંચતાં શીખવવાનું કામ સોંપો, આ જ તેમની સજા અને આ જ તેમનો દંડ છે." આનો અર્થ એ થયો કે એક યુદ્ધકેદી દસ નિરક્ષરોને સાક્ષર બનાવે તો તેની સજા માફ. સમગ્ર જગતમાં, માનવજાતિના ઈતિહાસમાં ક્યાંયે કોઈ રાજપુરુષે કે મહાપુરુષે આવી રચનાત્મક અને રાષ્ટ્રોદ્ધારક સજા કરી નથી. રહેમતુલ લિલઆલમીન સિવાય કોણ આ કરી શકે? અલ્લાહના રસૂલને ખબર છે કે કેળવાયેલો સમાજ આ સૃષ્ટિની સાચી સંપત્તિ છે. અને એટલે જ માનવજાતને "અશરફુલ મખલુકાત" અર્થાત્ "સૃષ્ટિનું શ્રેષ્ઠ સર્જન "નો લકબ મળ્યો છે.
ઈસ્લામે આપણને અસ્તિત્વ અને ઈમાનનાં ખતરા સામે જિહાદનો હુકમ આપ્યો છે. જિહાદ તો અસહાબો-વલીઓ-પુણ્યશાળીઓએ કરી. જિહાદના પરિણામે મળતી સાચી શહીદી માટેની ક્યાં છે આજે હિંમત ? અને ક્યાં છે એવી સાચી જિહાદ માટેની તકો પણ !
હા, પેલેસ્ટાઈનના મુજાહિદો આ કરી
રહ્યાં છે.ગત તા.05-10-'25 ના રોજ M.C.C. દ્વારા અમદાવાદમાં આયોજિત એક મિટિંગમાં ભારત ખાતેના પેલેસ્ટાઈની રાજદૂત અબ્દુલ્લા મોહંમદ અબુશાવેશે આપેલી માહિતી અનુસાર પાછલાં બે વરસમાં ઈઝરાયેલી આર્મી મારફતે 60,000/00 લોકો શહિદ થયાં,20,000/00 લોકો ઘાયલ થયાં અને 20,00,000/00 લોકો વિસ્થાપિત થયાં.અસંખ્ય ઘાયલ, બીમાર,બેઘર, ભૂખ્યાં, તરસ્યાં, વિધૂર,વિધવા લોકો માટે કોઈ જ જાતની મેડિકલ સારવાર-સુવિધા કે રાહત સામગ્રીની કોઈ જ માનવીય ગુંજાશ નથી. ક્યાં છે આજે આ હિંમત આજના એકંદર મુસલમાનોમાં? 57 મુસ્લિમ દેશોમાં કોણ છે પેલેસ્ટાઈનના પડખે ? એતો અલ્લાહ જેને હોંશ, હિંમત અને હિદાયત આપે એ જ જિહાદ કરે.

આજના એકંદર મુસ્લિમ સમાજ માટે મારી દ્રષ્ટિએ "સાચા દીની અને દુન્યવી શિક્ષણ-તાલીમની પ્રાપ્તિ" એ જ સાચી જિહાદ છે.

આચમન : "શિક્ષણનું મૂળિયું અચૂક કડવું છે, પરંતુ તેનું ફળ બેશક મીઠું-મધુરું છે."
એરિસ્ટોટલ.
ખાસનોંધ 16-17 વરસ પહેલાં P.M. હોસ્ટેલ પંચાશિયાના વાર્ષિક અંક
માટે લખેલો લેખ આજે નજીવા ફેરફાર સાથે પુનઃ પ્રસારિત કરતાં આનંદ અનુભવું છું.


ડૉ. હાજીભાઈ બાદી
મો: 94269 30381.
અનુક્રમણિકા પર પાછા જાઓ

ઈસ્લામના પહેલા ખલિફા

ઈસ્લામના પહેલા ખલિફા

હઝરત અબુબક્ર સિદ્ધિકે અકબર
((રદિયલ્લાહો તઆલા અન્હો))

(સંપાદક : (મરહુમ) હાજી અબ્દુલ ગફફાર ચોલા સાહેબ, મુ. જામનગર)

સવાલ : હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)નો જન્મ કઈ ઈસ્વીસનમાં અને ક્યાં સ્થળે થયો હતો?

જવાબ : ઈ.સ. ૫૭૨માં અને મક્કા શરીફમાં તેમનો જન્મ થયો હતો.

સવાલ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ની પયદાઈશ પછી કેટલા વર્ષો બાદ હઝરત સિદ્દિકે અકબર પયદા થયા હતા ?

જવાબ : લગભગ બે વર્ષ પછી તેમનો જન્મ થયો હતો.

સવાલ : હઝરત સિદ્દિકે અકબરનો જન્મ હિજરી સન શરૂ થઈ, તેના કેટલા વર્ષ પહેલાં થયો હતો ?

જવાબ : પચાસ વર્ષ અને છ મહિના પહેલાં થયો હતો.

સવાલ : 'હાથીવાળાઓનો હુમલો' મક્કા પર થયો હતો, જેની તફસીતર કુરઆને પાકની ‘સૂરહ અલમતરા કયફા'માં છે એ બનાવના કેટલા સમય પછી હઝરત સિદ્દિકે અકબરનો જન્મ થયો હતો ?

જવાબ : અઢી વર્ષ પછી થયો હતો.

સવાલ : હઝરત સિદ્દિકે અકબર હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)થી
કેટલા વર્ષ નાના હતા?

જવાબ : લગભગ સવા બે વર્ષ નાના હતા.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબરનો સંબંધ કયા 'કબીલા' સાથે હતો ?

જવાબ : કબીલા તીમ બીન મર્રહ બીન કઅબથી સંબંધ હતો.

સવાલ : ઈસ્લામનો સ્વીકાર કર્યો એ પહેલાં હઝરત સિદ્દિકે-અકબરનું શું નામ હતું ?

જવાબ : અબ્દુલકઅબહ નામ હતું.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબરે કેટલા વર્ષની ઉંમરે ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો ?

જવાબ : તેમની ૩૭ વર્ષની ઉંમર થઈ, ત્યારે ઈસ્લામ સ્વીકાર કર્યો હતો.

સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિકે-અકબરે કયા દિવસે ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો ?

જવાબ : સોમવારના દિવસે કર્યો હતો.

સવાલ : કયા ઈસ્વીસનમાં હઝરત સિદ્દિકે અકબરે ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો ?

જવાબ : ઈ.સ. ૬૧૦માં કર્યો હતો.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર કઈ વસ્તુનો વેપાર કરતા હતા ?

જવાબ : કપડાનો વેપાર કરતા હતા.

સવાલ : જે દિવસે હઝરત સિદ્દિકે અકબરે ઈસ્લામનો સ્વીકાર કર્યો ત્યારે તેમની પાસે કેટલી ‘મુડી' હતી ?

જવાબ : ચાળીશ હજાર 'દિરહમ'ની
રોકડ રકમ તેમની પાસે હતી.

સવાલ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)નો સૌથી પહેલો નિકાહ ઉમ્મુલ મુઅમેનીન હઝરતે ખદીજતુલ કુબ્રા (રદિયલ્લાહો તઆલા અન્હા) સાથે થયો હતો એ ‘નિકાહ'માં હઝરત સિદ્દિકે-અકબર શામેલ થયા હતા કે નહિ ?

જવાબ :હા, શામેલ થયા હતા.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબરનો 'લકબ' શું હતો ?

જવાબ : 'અતીક' લકબ હતો. અતીકનો અર્થ સુંદર થાય છે.

સવાલ : 'અતીક' લકબ શા ઉપરથી મળ્યો ?

જવાબ : તે પોતે ખૂબસૂરત હોવાનો કારણે એવો લકબ મળ્યો.

સવાલ.: ઇસ્લામના સમયમાં સૌથી પહેલાં કોને 'અતીક' લકબ મળ્યો હતો ?

જવાબ: હઝરત સિદ્દિકે-અકબર સિવાય બીજો કોઈને એ લકબ મળ્યો નથી.

સવાલ : બારગાહે-ખુદાવંદીથી હઝરત સિદ્દિકે-અકબરને બે 'ખિતાબ' મળ્યા હતા. એ 'ખિતાબ' કયા છે ?

જવાબ : 'સાનીઉસ્નૈન' અને 'સાહિબુર્રસૂલ'.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબરના વાલીદ (પિતા)નું નામ 'અબુકહાફહ' છે. તેમની 'કુન્નીયત’ (અટક) શું હતી?

જવાબ : 'ઉસ્માન' અટક હતી.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબરે પહેલી
વ્યાપારી-સફર કરી ત્યારે તેમની ઉંમર કેટલી હતી ?

જવાબ : અઢાર વર્ષની ઉંમરે પહેલી સફર કરી હતી.

સવાલ : હઝરત અબૂબક્રને (રદિયલ્લાહો તઆલા અન્હો) 'સિદ્દિકે અકબર'નો ખિતાબ કયારથી મળ્યો?

જવાબ : હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) ‘મેઅરાજ' પર ગયા હતા. એ અકલ્પિત બનાવ સંબંધે તેમને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે; 'અગર મારા આકા (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) કહે છે, તેથી હવે તેમાં શંકાને સ્થાન કયાં રહે છે ?

સવાલ : હઝરત અબુબક્ર સિદ્દિકે-અકબરનો એક લકબ ‘અતીક' હતો તેનું શું કારણ છે ?

જવાબ : હઝરતે આઈશહ સિદિકહ (રદિયલ્લાહો તઆલા અન્હા)નું કથન છે કે, 'હું એક સમયે અલ્લાહના મુકદૃસ નબીના મુકદૃસ ઘરના આંગણામાં બેઠી હતી. દરવાજા પર પડદો રાખેલો હતો. અમારી પાસે હુઝૂરે અકદસ કેટલાક 'સહાબા' સાથે બેઠા હતા, તેવામાં મારા ‘વાલીદ' (હઝરત અબૂબક્ર સિદ્દિક) પધાર્યા. તેમને જોઈને હુઝૂરે અકરમે (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) ‘સહાબા'ને ઉદ્દેશીને ફરમાવ્યું કે; ‘જે કોઈ
જહન્નમથી વિમુખ અને 'આઝાદ ઈન્સાન'ને જોવા ઈચ્છતો હોય, એ (હઝરત અબૂબક્ર)ને જોઈ લે ('વહી'ની પરિભાષામાં 'અતીક મીનન્નાર' તેમને ફરમાવવામાં આવ્યું) એટલે 'અતીક' લકબ મશહૂર થઈ ગયો.

સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિકની 'વાલેદા'નું નામ શું હતું?

જવાબ : સલ્મહ બિન્તે સખ્ખર બીન અમીર બીન કઅબ હતું. તેમની ‘કુન્નીયત’ ‘ઉમ્મુલખૈર' છે. તે હઝરત અબૂબક્ર સિદ્દિકના કાકાના પુત્રી હતા.

સવાલ : 'જહાલત'ના સમયમાં અરબના વિસ્તારના લોકોનું ‘પ્રિય પીણું' શરાબ કહેવાય છે, તેનો ઉપયોગ હઝરત અબૂબક્ર સિદ્દિક એ સમયમાં કરતા હતા કે નહિ ?

જવાબ : 'જહાલત'ના સમયમાં અને ત્યારપછી કેટલાક સમય બાદ શરાબને 'હરામ' જાહેર કરવામાં આવ્યો હતો. અરબના લોકો તેને ખૂબ જ લિજ્જતથી પીતા હતા, એવા સમયે પણ અબૂબક્ર સિદ્દિકે શરાબને સ્પર્શ કર્યો ન હતો. તેમનું કહેવું હતું કે, શરાબ પીવાવાળાની આંખમાં શરમ જેવી વસ્તુ રહેતી નથી, હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ને આની જાણ થતાં, આપે ફરમાવ્યું
કે; 'એ તદ્દન સત્ય હકીકત છે.’

સવાલ: હઝરત અલી (કર્રમલ્લાહો વજહહુ) ને પૂછવામાં આવ્યું કે; ‘બતાવો, સૌથી બહાદુર (શૂરવીર) કોણ છે ?' તેનો જવાબ હઝરત અલીએ શું આપ્યો હતો ?

જવાબ : હઝરત અલી (કર્રમલ્લાહો વજહહુ)એ કહ્યું કે; 'હું તો હંમેશા મારા સમોવડિયાથી લડતો રહ્યો છું. સૌથી વધુ શૂરવીર મારા મતે હઝરત અબૂબક્ર સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) છે. 'બદ્ર’ના જંગ વખતે અમે બધા મળીને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ)ને માટે એક 'સાયબાન' (તડકાના રક્ષણ માટે ઝુંપડી) બનાવી હતી, ત્યારે અમે પરસ્પર સલાહ મશ્વરો કર્યો હતો કે, આ 'સાયબાન' પાસે કોણ રહેશે ? તે એટલા માટે કે કોઈ ‘મુશરિક' રસૂલલ્લાહ પર હુમલો ન કરી શકે; એ સમયે અમારામાંથી એક પણ માણસ આગળ આવ્યો નહી. પરંતુ હઝરત અબૂબક્ર સિદ્દિક ખુલ્લી તલ્વાર સાથે આવીને રસૂલલ્લાહની પાસે ઉભા રહી ગયા. ત્યારપછી કોઈ ‘મુશરિક' રસૂલલ્લાહ પર હુમલો કરવાની હિંમત કરી શકયો નહોતો. જ્યારે એવું બને ત્યારે હઝરત અબૂબક્ર સિદ્દિક ખુલ્લી તલ્વાર સાથે તેના પર ટૂટી પડવા તૈયાર હતા,
એટલે તેઓ અમારામાં સૌથી વધુ 'શૂરવીર' હતા.

સવાલ : અલ્લાહના આખરી નબી (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) એ જાહેરમાં કોના અહેસાનનું કથન વ્યકત કર્યું છે ?

જવાબ : હુઝૂરે અકરમે (સલ્લલ્લાહો તઆલા અલયહે વસલ્લમ) ફરમાવ્યું કે; મેં લગભગ તમામ માનવીઓના અહેસાનનો ભાર ઉતારી દીધો છે. એકમાત્ર (હઝરત) અબૂબક્ર સિદ્દિકનો અહેસાન મારા પર બાકી છે. તેમનો અહેસાન એટલો મોટો છે કે તેનો બદલો' 'કયામત'ના દિવસે અલ્લાહ તઆલા તેમને અતા ફરમાવશે. મને કોઈના માલમાંથી એટલો લાભ પહોંચ્યો નથી, જેટલો લાભ (હઝરત) અબૂબક્ર સિદિકનાં માલથી થયો છે.'

સવાલ : કુરઆને મજીદમાં હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ફઝીલત (શ્રેષ્ઠતા) વિષે કેટલી 'આયતો' 'નાઝિલ' થઈ છે ?

જવાબ :સત્તર આયતો નાઝિલ થઈ છે.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)એ કેટલી 'હદીસો' બયાન કરી છે ?

જવાબ : ૧૪૪ હદીસો બયાન કરી છે.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના, એ ‘સાહેબઝાદા'નું શું નામ છે, જે ‘બદ્ર’ના
જંગમાં 'મુશ્રિકો સાથે રહીને મુસલમાનોથી લડી રહ્યા હતા?

જવાબ : તેમનું નામ હઝરત અબ્દુર્રહમાન બિન અબુબક્ર છે.

સવાલ : એ ઔરતનું શું નામ છે જેણે હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'ખિલાફત'માં 'નબુવ્વત'નો દાવો કર્યો હતો ?

જવાબ : તે ઔરતનું નામ સજાઅ હતું. તેનો સંબંધ 'બની તમીમ' કબીલાથી હતો.

સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ના બીમારીના દિવસોમાં કોણે તેમના હુકમથી નમાઝ પઢાવી હતી?

જવાબ : હઝરત ઉમર ફારૂકે આઝમે (રદિયલ્લાહો તઆલા અન્હો) નમાઝ પઢવી હતી.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'ખિલાફત'માં કયા કયા 'ભયાનક ફિત્ના'એ માથું ઉચકયું હતું ?

જવાબ : 'નબુવ્વતના જુઠા દાવેદારો' અને 'ઝકાતનો ઇન્કાર' કરનારાઓના મહાભયાનક ફિત્નાઓએ માથું ઉંચકયું. તેને સખ્તીની સાથે તેમણે દબાવી દીધા હતા.

સવાલ : હઝરત સિદ્દિકે અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) પૂરા અરબ ઈલાકાને કેટલા ભાગોમાં વહેંચી દઈને, દરેક ભાગ ઉપર એક 'અમીર' એક 'ન્યાયાધિશ' (કાઝી)
મુકર્રર કર્યો હતો ?

જવાબ : દશ હિસ્સામાં પૂરા ઈલાકાને વહેંચી દેવામાં આવ્યો હતો.

સવાલ : હઝરત સિદિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) કેટલા દિવસ તાવની બીમારીમાં પથારીવશ રહ્યા ?

જવાબ : પંદર દિવસ તાવની બીમારીમાં રહ્યા. ત્યાર પછી તેમની 'વફાત' થઈ હતી.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) કયા દિવસના સંબંધે ફરમાવતા હતા કે મારી 'વફાત' એ દિવસે થશે ?

જવાબ : સોમવારના દિવસ સંબંધે એવું ફરમાવતા હતા.

સવાલ : જે દિવસે હઝરત અબૂબક્ર સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'વફાત’ થઈ, એ જ દિવસે એક બીજા 'સહાબી'ની પણ 'વફાત' થઈ હતી. તેનું શું નામ છે ?

જવાબ : તેમનું નામ હઝરત ઉતાબ બીન ઉસૈદ (રદિયલ્લાહો તઆલા અન્હો) છે.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ‘વફાત’ થઈ, ત્યારે તેમના ‘વાલીદ’ (પિતા) હયાત હતા કે નહિ?

જવાબ : હયાત હતા.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના 'વાલીદે' ઈસ્લામનો સ્વીકાર કયારે કર્યો?

જવાબ : હિજરી સન ૮માં
'ફતેહ-મક્કહ' વખતે તેમણે ઈસ્લામ સ્વીકાર્યો.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ને કેટલા ભાઈ બહેનો હતા ?

જવાબ. :બે ભાઈઓ અને બે બહેનો હતી.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હ)ની એક 'સાહેબઝાદી' ઉમ્મુલ મુઅમેનીન હઝરતે આયેશા સિદ્દિકા (રદિયલ્લાહો તઆલા અન્હા) છે. બીજા 'સાહેબઝાદી'નું નામ હઝરતે અસ્મા (રદિયલ્લાહો તઆલા અન્હા) હતું. હઝરતે અસ્મા (રદિયલ્લાહો તઆલા અન્હા હઝરતે આઈશા સિદ્દિકા (રદિયલ્લાહો તઆલા અન્હા)થી ઉંમરમાં કેટલાં મોટા હતા ?

જવાબ : તેઓ દશ વર્ષ મોટાં હતાં.

સવાલ : હઝરતે અસ્મા બિન્તે અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો) આ ફાની જગતમાં કેટલો સમય રહ્યા ?

જવાબ : તે પૂરા એક સો વર્ષ જીવ્યાં હતાં.

સવાલ : તે 'સહાબી'નું શું નામ છે જેમની સાથે હઝરતે અસ્મા (રદિયલ્લાહો તઆલા અન્હા)ની શાદી થઈ હતી ? એ 'સહાબી' 'હવ્વારી-એ. રસૂલ'ને નામે મશહૂર હતા કે કેમ ?

જવાબ : તેમનું નામ હઝરત ઝુબૈર બિન અલ્અવામ (રદિયલ્લાહો તઆલા અન્હો) હતું.

સવાલ :
'વફાત' વખતે હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ઉંમર કેટલી હતી.

જવાબ: ત્રેસઠ વર્ષની હતી.

સવાલ : હિજરી અને ઈસ્વીસન પ્રમાણે હઝરત સિદ્દિક’ અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની કઈ તારીખે 'વફાત' થઈ હતી ?

જવાબ :૨૨ જમાદીઉલ આખર, હિજરી ૧૩ અને રર ઓગસ્ટ ઇ.સ. ૬૩૪ની તારીખ હતી.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના જનાઝાની નમાઝ કોણે પઢાવી હતી અને નમાઝે-જનાઝામાં કેટલી 'તકબીરો' કહી હતી.


જવાબ : જનાઝાની નમાઝ હઝરત ઉમર ફારૂકે-આઝમ (રદિયલ્લાહો તઆલા અન્હો) એ પઢાવી હતી અને નમાઝે-જનાઝામાં ચાર 'તકબીરો' કહી હતી.

સવાલ : હઝરત સિદિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના ‘વાલીદ’ હઝરત અબૂકહાફહ (રદિયલ્લાહો તઆલા અન્હો) હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'વફાત' પછી કેટલો સમય દુનિયામાં રહ્યા અને તેમની 'વફાત' કયારે થઈ ?

જવાબ :હઝરત અબૂકહાફહ (રદિયલ્લાહો તઆલા અન્હો) હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની 'વફાત' પછી આ ફાની દુનિયામાં છ મહિના અને થોડાક દિવસો
રહ્યા હતા, તેમની ‘વફાત’ વખતે તેમની ઉંમર ૯૭ વર્ષની હતી. તેવું ઈતિહાસમાં લખ્યું છે.

સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની એકંદરે ચાર બીબીઓ હતી. તેમાંના એ બીબીનું શું નામ છે, જે હઝરત સિદ્દિકે અકબરની ‘વફાત’ પછી હઝરત અલી (કર્રમલ્લાહો વજહહુ)ના ‘નિકાહ'માં આવ્યા હતા ?

જવાબ :એ બીબીનું નામ અસ્મા બિન્તે અમીસ હતું.

સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ના એ ‘સાહેબઝાદા'નું શું નામ છે, જે ‘તાઇફ'માં ‘શહીદ' થઈ ગયા હતા ?

જવાબ : તેમનું નામ અબદુલ્લાહ (રદિયલ્લાહો તઆલા અન્હો) છે.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો) કયા વર્ષમાં અને કયા દિવસે 'ખલિફા’ થયા ?

જવાબ : હિજરી સન ૧૧ રબીઉલ અવ્વલની તા. ૧૪ના દિવસે 'ખલીફા' થયા. તેમના હાથ પર સૌ પ્રથમ હઝરત ઉમર ફારૂકે આ'ઝમે (રદિયલ્લાહો તઆલા અન્હો) ‘બયઅત' કરી હતી.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના ત્રણ 'સાહેબઝાદા' હતા. તેમના શું નામો છે?

જવાબ : (૧) હઝરત અબ્દુલ્લાહ
(૨) હઝરત અબ્દુર્રહમાન અને (૩) હઝરત મુહમ્મદ બિન અબૂબક્ર ( રદિયલ્લાહો તઆલા અન્હો)

સવાલ : કોની 'તબ્લીગ'થી હઝરત ઉસ્માનગની, હઝરત ઝુબૈર બીન અલઅવામ, હઝરત અબ્દુર્રહમાન બીન ઔફ, હઝરત તિલ્હા બિન ઉબૈદુલ્લાહ અને હઝરત સઅદ બીન વક્કાસે (રિદવાનુલ્લાહે તઆલા અલયહિમ અજમઈન) ઈસ્લામનો સ્વીકાર કર્યો હતો ?

જવાબ: હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ના પ્રયાસોથી તે સર્વે મુસલમાન થયા હતા.

સવાલ : હઝરત સિદ્દિકે-અકબર (રદિયલ્લાહો તઆલા અન્હો)ની ‘ખિલાફત'માં સૌથી મોટા ‘કાઝી’ એટલે 'ચીફ જસ્ટીસ' કોણ હતા ?

જવાબ : હઝરત અલી (રદિયલ્લાહો તઆલા અન્હો) મોટા કાઝી તરીકે હતા.

સવાલ : હઝરત અબૂબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો) એ ઈસ્લામ સ્વીકાર કર્યો, તે પહેલાં તેમનું શું નામ હતું ?

જવાબ : તેમનું નામ અબ્દુલ્લાહ, અબ્દુલકઅબહ હતું.

સવાલ : હઝરત અબુબક્ર સિદ્દિક (રદિયલ્લાહો તઆલા અન્હો)ની કબ્ર શરીફ કયાં છે ?

જવાબ: 'ગુંબદે-ખિજ્રા'માં, હુઝૂરે અકરમ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના કદમ શરીફ પાસે
તેમની કબર છે.


તયબાહ : ૧-૮-૨૦૦૪
અનુક્રમણિકા પર પાછા જાઓ